પરશોત્તમ રુપાલા દિલ્હીથી પરત : ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોનું સમર્થનનો દાવો ...
- 04 Apr, 2024
કેબિનેટ મંત્રી પરશોત્તમ રુપાલાના નિવેદનને લઇ ને હાલમાં ગુજરાતનું રાજકારણ ગરમ છે,કેટલાય પ્રયનતો કરવા છત્તા આ વિવાદ ક્ષમવાનું નામ નથી લેતો, ક્ષત્રિય સમાજ દ્વારા તેમના વિરુદ્ધ સતત વિરોધ થઇ રહ્યા છે,જેને કારણે રૂપાલાને દિલ્હીથી તેડું આવ્યું હોવાનું અનુમાન લગવાઈ રહ્યું છે,દિલ્હી માં રૂપાલા સાથે મનસુખ માંડવીયા પણ ગયા હતા. એવામાં દિલ્હીથી પરત ફરેલા પરશોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે તેમણે તમામ સમાજનું તેમને સમર્થન મળેલું છે .
ગઇકાલે દિલ્હીમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં કેબિનેટ મંત્રી પરશોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.પરશોત્તમ રુપાલાએ દિલ્હીથી પરત ફર્યા બાદ ક્ષત્રિય સમાજના વધતા વિરોધ મુદ્દે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. તેમણે તમામ સમાજનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યુ કે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનોનું પણ સમર્થન છે. મેં મારા તમામ વિચારો રજૂ કરી દીધા છે. હવે આ વિવાદને વધુ લંબાવવાની જરૂર નથી.
મહત્વનું છે કે 24મી માર્ચના રોજ રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પર નિવેદન આપ્યું હતુ કે મહારાજાઓએ અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા, જોકે દમન છતાં રૂખી સમાજે નહોતો ધર્મ બદલ્યો કે નહોતો વ્યવહાર કર્યો. રૂપાલાના નિવેદનથી રાજપૂત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિુરુદ્ધ કરેલા નિવેદન બાદ માફી પણ માંગી લીધી છે. જો કે વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ